રવિવાર, 16 ફેબ્રુઆરી, 2020

વિદ્યાર્થીઓને માસિકધર્મ પળાવતી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટ: ભૂજ

વિદ્યાર્થીઓને માસિકધર્મ પળાવતી સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટ: ભૂજ
ભૂજની સહજાનંદ છાત્રાલયમાં રજસ્વલા( માસિકધર્મ) ન પાળતાં વિદ્યાર્થીનીઓના કપડાં ઉતારી તપાસ કરી હતી. જેના લીધે વિદ્યાર્થીનીઓએ  વિરોધ કરી રહી છે. ઈન્સ્ટિટ્યુટના નિયમનું   ઉલ્લંઘન  કરવાથી વિદ્યાર્થીનીઓની તપાસ કરવામાં આવી હતી. તેમ સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટ તરફથી જણાવવામાં આવ્યું હતું. પરંતુ આવું કરવું કેટલું યોગ્ય? સંતો-સાધુઓ સ્રીઓની કુખેથી જન્મ લે છે. પછી તે જ સ્રીઓને માસિક ધર્મનું પાલન કરાવતાં થઈ જાય છે. સ્રીઓએ શું કરવું અને ન કરવું તે કહેવાનું લાઈસન્સ લઈને બેસી જતાં હોય છે.
માસિક ધર્મ અને ભગવાન:
લોકોમાં માનસિકતા ઘર કરી ગઈ છે કે સ્રીઓને માસિકધર્મ આવવાને કારણે ભગવાન અછૂત થઈ જાય છે. તેમ કહેવામાં આવે છે. ઘરમાં પણ આ જ શીખવામાં આવતું હોય છે. કોઈ તેનું યોગ્ય કારણ સમજાવતું નથી. આપણા ધર્મગ્રંથોમાં પણ માસિકધર્મને ભગવાન સાથે જોડી દેવામાં આવે છે. મેરા ન્યુઝના રમેશ સાવરણીના લેખમાં 'માસિકધર્મ પળાવવાનું   કારણ ધર્મગ્રંથો અને સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી દર્શાવ્યું છે.' તેમાં નિયમો લખેલા છે. તે રીતે સ્રીઓએ અનુસરણ કરવું પડે છે. બંધારણ સ્વતંત્રતા આપી છે પણ આવા સંપ્રદાયો સ્રીઓને સંકુચિત કરતાં હોય છે. તે જે-તે સમયને અનુરૂપ હતા. પણ અત્યારે આ નિયમો યોગ્ય નથી. ઘણા મંદિરો કે સંસ્થાઓ છે ત્યાં સ્રીઓને પ્રવેશ પર રોક હોતી નથી. પરંતુ અમુક સ્થળોએ આ પ્રકારે હોય છે.

એક વર્ષ પહેલા સબરિમાલા મંદિરમાં પણ 10 વર્ષથી વધુ વય ધરાવતી સ્રીઓને પ્રવેશ પર રોક હતી. જેથી સુપ્રીમકોર્ટે સ્રીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને પંદરસો વર્ષ જુની પરંપરાને છોડી હતી. તેવી જ રીતે ભૂજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટયુટમાં યુવતીઓ માટે પણ  કાયદો લાગુ કરવો જોઈએ, અને સહજાનંદ ઈન્સ્ટિટ્યુટ સામે બંધારણીય મૂલ્યો ધ્યાને રાખી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તટસ્થતા?

તટસ્થતા ?  હાલ પત્રકારત્વમાં તટસ્થતાની બુમો પડી રહી છે. પત્રકાર તટસ્થ હોવો જોઈએ. નિષ્પક્ષ હોવો જોઈએ.   પણ ખરેખર તટસ્થતા એટલે શું? ઉદાહરણ તરી...